વ્યવહાર :-
બહાર જતા હોય તેને ક્યાં જાઓ છો એમ પૂછવું નહિ.
ચાડિયા માણસને ત્યાં રહેવું નહિ.
કરકસર કરવી પણ કંજૂસ થવું નહિ.
શરણે આવેલા શત્રુને પણ શિક્ષા ન કરવી.
સમય અનુસાર ઉત્તર આપવામાં શરમાવું નહિ.
આશ્રિત અને પૂજ્યનું પાલન કરવું એ ધર્મ છે.
તમારી કિંમત સોબતથી અકાંશે.
આત્મપ્રશાંતથી અળગા રહો.
જૂની ઓળખાણનો અનાદર ન કરો.
તક ગુમાવી તેને જીવન ગુમાવ્યું.
મિત્રોના હિસાબ હૈયામાં રાખવા.
તમારા મોભા પ્રમાણેનાં કપડાં પહેરો.
જે ભવિષ્યનો વિચાર કરે છે, તે સદા સુખી રહે છે.
આરોગ્ય એ જીવનનું ઉમદા સુખ છે.
મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં, નહિ સાંધો, નહિ રેણ.
જુવાની જાળવી તેને મનખો સુધાર્યો.
સ્વવિશ્વાસ એ અનામત બળ છે.
સેવેલા સ્વપના મરીફીટીને પણ સફળ કરો.
કડવી વાણી, સળગતી આગ અને યોગીના ક્રોધથી હઠી જવું.
મકાન, મૂડી ને માણસ પોતાનાં હોય તે જ વેપારમાં ફાવે.
ગુપ્ત રાખવાની વાત અજ્ઞાન સ્ત્રી, અનાડી નોકર અને અજ્ઞાન બાળક આગળ કહેવી નહિ.
એક માણસની વરસની કમાણી કરતાં તેને વધારે રકમ ધીરવી નહિ.
સાથે ન રહેવાય તો દૂર રહે, પણ ક્લેશ કરીશ નહિ.
બધું ખરચે તે ચિંતાતુર રહે ને વધુ ખરચે તે દુઃખમાં રહે.
ગમે તેવો કોઈ હલકો જણાતો હોય પણ તેનો તિરસ્કાર કરીશ નહિ.
કોઈને સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે, એટલું જ કોઈને સલાહ આપવામાં છે.
સત્ય બોલવાથી વાણી અમોઘ થાય છે.
સત્ય,શાંતિ અને પ્રિય વાણી આગળ જગતનો વૈભવ તુચ્છ છે.
ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન;
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.
સત્ય, શાંતિ, સંતોષ અને સરળતા આચરનાર જીવતાં જ ઈશ્વરને પામે છે.
આજ્ઞા:-
પરાધીન થવું નહિ.
કઠણ વચન કારી ઘા દે છે.
દેશસેવાને સ્વાર્થથી કલંકિત ન કરો.
આબરૂ એ અમૂલ્ય ભંડાર છે.
માણસે બાળપણમાં વિદ્યા, જુવાનીમાં ધન ને ઘડપણ માં ધર્મ મેળવવા.
પવન, પાણી, પ્રકાશ ને પેદાશ સારાં ન હોય ત્યાં રહેવું નહિ.
ધુતારા તરંગોથી જુવાની વેડફો નહિ.
મરદ માફક જીવો.
નાના કામમાં પણ તમારું પાણી બતાવો.
ઉદાર અને ઉમરાવ દિલના બનો.
હું મારી જાતને ઊંચે લઈ જનાર છુ એવી હિંમત રાખો.
જેમ માણસ વૃદ્ધ થાય તેમ ફળનાં બીજ માફક હૃદય કઠણ થવું જોઈએ.
યુવાનો એ દેશનું ધન છે.
વિઘ્ન એ ચડતીનુ પગથિયું છે.
સવારસાંજ ઈષ્ટદેવને યાદ કરો.
વગરવિચારે અભિપ્રાય આપો નહિ.
ચારિત્ર્યથી શબ્દોની શક્તિ વધારી તમારા હક્ક ઉપર ધ્યાન આપો.
ધંધા વગરનાને મુલાકાત ન આપો.
દરેકની સાથે પ્રેમથી વર્તો.
ગમે તે થાય તોયે ન હારવું અને આનંદમાં રહેવું.
થાકને બધાં જ સ્થળ કિંમતી હોય છે.
સભામાં શરમાવું નહિ.
કોઈને આભારી થવું નહિ.
મેલડી વસ્ત્રો પહેરવા નહિ.
હીન જાતિનું ઋણ કરવું નહિ.
સ્ત્રીની ઉંમર ને પુરુષનો પગાર પૂછવો નહિ.
ખોટો આરોપ સ્વીકારવો નહિ.
આદર ન હોય ત્યાં બોલવું નહિ.
વાતો કરતા હસવું નહિ.
રસ્તે ચાલતા ખાવું નહિ.
બીજાને જોઈને હસવું નહિ.
પ્રભુભક્તિ કરતાં શરમાવું નહિ.
દેખીએ એટલું માગવું નહિ.
સુનિએ એટલું માનવું નહિ.
હોય એટલું ખરચવું નહિ.
આવકાર ન મળે ત્યાં જવું નહિ.
કપટીની સોબત કરવી નહિ.
દાન લેવું નહિ.
ખપ કરતાં વધુ બોલવું નહિ.
કરજ, રોગ, અને અગ્નિને વધવા દેવાં નહિ.
જુઠા અને ભૂખ્યાનો ભરોસો કરવો નહિ.
મધમાખી, પારકું કૂતરું અને સૂતેલાને જગાડવા નહિ.
કોઈનો પણ અતિવિશ્વાસ કરવો નહિ.
ક્લેશ હોય ત્યાં રહેવું નહિ.
બોધક:-
ભલુ કરનારનું ભૂંડું થાય જ નહિ.
આત્મપ્રશંતા અને પરનિંદા ડુબાડનાર છે.
જે આપશે, તે મેળવશે.
જે ઘણું આપે છે તેને ઘણું મળે છે.
શૂરવીર માણસ એકવાર મરે છે, બાયલો ઘણી વાર મરે છે.
જીવન સુધર્યાનો માપ તે કેટલો સંયમ રાખી શકે તે ઉપરથી થાય છે.
લાભ થાય તેમ લોભ વધે છે.
સારા કામમાં વિધ્ન સ્વાર્થ હોય તો જ આવે.
વ્યક્તિ કરતાં ભાવના સદાય મોટી છે.
રાજ્યને ખાતર થતા યુદ્ધ શાપિત હોય છે.
શબ્દમાં સૃષ્ટિ બદલી નાખવાનું સામર્થ્ય રહેલું હોય છે.
પ્રયત્ન કરનારને કશું અશક્ય નથી.
માણસની કસોટી સંકટમાં થાય છે.
ઇન્દ્રિય સંયમથી સર્વ સિદ્ધિ મળે છે.
કર્મ આપણું અસલ સ્વરૂપ દેખાડનારી આરસી છે.

No comments:
Post a Comment