Friday, August 10, 2018

તંદુરસ્તી માટેના અગત્યના નિયમો




તંદુરસ્તીના નિયમો:


1. શરીર અને ચૈતન્ય એકમેક છે, તેથી બંનેનો સાથે વિચાર  કરવો.

2.  બંનેમાંથી એકનો સ્વતંત્રપણે વિચાર કરવાથી શરીરની  સમતુલામાં ખામી આવે છે.

3.  ઉંમર અને બીમારીથી જેમ નબળાઈ આવે છે તેમ માનસિક વ્યથાથી પણ પણ શરીરનાં અંગો શિથિલ             થાય છે.

4.  માનસિક બળોની સાચવણી પણ શરીરનાં કુદરતી બળોના જેટલું રક્ષણ, સાવચેતી માગી લે છે.

5.  શરીરમાં જ પોતાના રક્ષણ માટે બહુ શક્તિસાડી બળો   રહેલાં છે.

6.  શરીરને મદદ કરવી, પણ શરીરનું જે ચાલુ બંધારણ હોય તેનાથી વુરૂદ્ધ દિશામાં લઈ જાય એવું કશું કરવું       નહિ.

7. કોઈ અંગમાં અવ્યવસ્થા આવી હોય તો તેના સ્વાભાવિક કાર્યમાં આડે આવવું નહિ. પણ શરીરનાં                    પરમાણુઓને અને રસવાહિનીઓને ઉતેજન આપવું.

8. કોઈ પણ અંગના કાર્યને અટકાવવાથી તેની અસર શરીરનાં બધા અંગોના કાર્ય ને થાય છે.

9. કોઈ પણ અંગના કાર્યમાં વિજ્ઞાનના જ્ઞાન પ્રમાણે અવરોધ થયો હોય, તો શરીરનાં બધા અંગોને ધ્યાનમાં      રાખી ઉપાય કરવો.

10. તમારા શરીરને તમે જાતે જ સાચવો. જુવાની અને શક્તિ અવિચારી અને ઉતાવળિયા થઈને                          અટકાવવાથી કે અવરોધવાથી નુકસાન થાય છે.

11. તંદુરસ્તી માટે મોટામાં મોટી બાબત સ્વચ્છતા છે.

12. શરીરને શાની જરૂર છે તેનું ધ્યાન આપો.

13. શરીરની તંદુરસ્તી સાચવવા માટે સારો અને અસરકાર ઉપાય ઊંઘ છે. ઊંઘ માટે અકુદરતી ઉપાયો ન            લો, તેથી શરીરની અને મનની તંદુરસ્તીને નુકસાન થાય છે.

14. હંમેશા યાદ રાખો કે શરીરનું રક્ષણ કરવા માટે તે બધું જ કરે છે, તેને તેમાં મદદ કરો. પણ નકામું                  સમજણ વગર તેની પાસે કાંઈ પણ કરાવો નહિ. યાદ રાખો કે શરીર આળસુ નથી, પણ તેને વિરુદ્ધ                 દિશાઓમાં ક્રિયાઓ કરવાની ફરજ પાડશો, તો તેથી શરીર થાકી જશે અને કાંઈ પણ સારું પરિણામ આવશે      નહિ.


No comments:

Post a Comment