Friday, August 10, 2018

વસ્તુઓના ઉપયોગમાં પડતી મુશ્કેલી ટાળવાના ઉપાયો


1. કાચના શીશામાંથી સહીની ધાર ન પડે તો શીશાના     મોં ઉપર એક સળિયો રાખી ધાર પાડશો તો સીધી        ધાર પડશે.

2. બે કાચના ટંબલર એકબીજામાં ભરાઈ ગયા હોય     તો તે ન નીકળે તો બહારના ટંબલરને ગરમ પાણીમાં મુકવો અને અંદરના ટંબલરમાં ઠંડું પાણી રેડશો એટલે છૂટા પડી જશે.

3. બટાલીનો બૂચ સખત ચોંટી ગયો હોય તો બે ભાગ      સ્પિરિટ,  એક ભાગ ગ્લિસરીન અને એક ભાગ મીઠું       ધારે ધારે ચોપડવાથી તે ઢીલો પડી જશે.

4.  બારણાં અકળાઈ ગયા હોય તો સાબુ કે મીણબત્તી        ઘસવી.

5. કબાટ કે ટેબલનું ખાનું ઉઘાડઢાંક ન થઈ શકે તો         સૂકો સાબુ કે મીણબત્તીનો ટુકડો ઘસવો.

6. ચશ્માંના કાચ જોડવા માટે સ્પીરીટમાં લાખ               પીગળાવી લેવી.

7. લોખંડને સાંધવા માટે સિંદૂરને બેલતેલમાં ભેળવી        ઘટ બનાવી સાંધવું.

8. નેતર ઢીલું થાય તો બંને બાજુએ ગરમ પાણીમાં          સાબુ ભેળવી કપડાંથી ધોવું.


વસ્તુઓ મેલી થઈ હોય તે ચોખ્ખી કરવાના ઉપાયો


મેલી વસ્તુઓ ચોખ્ખી કરવાના ઉપાયો :

1) આરસપહાણ પરના ડાઘા કાઠવા માટે લીંબુનો રસ અને મીઠું અર્ધો           ડાઘા પર ચોપડી રાખી તેને ઘસીને ધોઈ નાખવું.

2) લાખના ડાઘ મેથિટેન્ડેડ સ્પિરિટથી સાફ થાય.

3) કપડાં પર સીવવાના સંચાના ડાઘ પડ્યા હોય તો તેના પર                    નવસારના પાણીમાં ભીંજાવેલો કકડો ઘસવાથી ડાઘ દૂર થશે.

4) શાહીના ડાઘા કાઢવા સુરોખાર પાતળો કરી પીંછી વડે લગાડવો.

5) કોઈ પણ વાસણની ચીકાશ કાઢવા ટકણ ખાર વાપરવો.

6) સાદડી મેલી થઈ હોય તો અથવા સાફ કરવી હોય તો મીઠાના                પાણીથી સાફ કરવી.

7) નકશી ફર્નિચરનો કચરો કાઢવા પેટ્રોલમાં પીંછી બોળીને બધા                ખાંચામાં ફેરવવી.

8) દૂધ પીવાની બચ્ચાંની બાટલીઓ મીઠું નાખી ધોવાથી અથવા તો            લાઇમવોટરથી ધોવાથી ચોખ્ખી થાય છે.

9) વોશ-બેસિન સાબુના પાણી ને ટંકણખારથી સાફ થાય છે.

10) કોઈ પણ ડાઘ કાઢવા માટે પેરેફીન સારું કામ આપે છે. 

વસ્તુ બગડેલી હોય તે સુધારવાના ઉપાયો


બગડેલી વસ્તુ સુધારવાના ઉપાયો :

1) હાડકાંના ગુથવાનાં સોયા વળી ગયેલા હોય તો તેમને ઉકળતા પાણીમાં બોડી રાખી તેમને ઢીલા થાય ત્યારે ખૂબ ઠંડા પાણીમાં બોડી દેવા. એટલે તે સીધા થઈ જશે.

2) ઊનનાં મોજાં, ટોપી કે સ્વેટર ધોવાથી કોકડાં વળી જાય તો તપેલીમાં પાણી લઈ તેમાં બે ચમચા એરંડિયું      નાખી કપડાંને બોડી નિચોવશો તો તે ખૂબ કુમાંશદાર રહેશે.

3) બારણાની સુકાઈ ગયેલી લાપી ન ઉખડતી હોય તો કોસ્ટિક સોડાના મિશ્રણનું એક પોતું મારશો એટલે  એકાદ કલાકમાં નરમ પડશે.

4) ખુરશીનું નેતર ઝોળો ખાઈ ગયું હોય તો ખુરશીને ઊંધી વળી નેતર પર જાડું, ભીનું કપડું કાલાકેક મૂકી રાખવું. પછી કપડું ખસેડી લઈ સુકાવા દેશો એટલે તે અક્ક્ડ થઈ જશે.

5) વાપરેલી ટિકિટ પર ગ્યાડતેલનું ટીપું મુકતા છાપ દેખાય છે.

6) કાચ પ્લાસ્ટર ઓફ પેરિસથી સંધાય છે.

7) ભીના બૂટમાં કાગળના ડૂચા ભરવાથી સુકાઈ છે.

8) કાણું પડેલી કોથળીમા રેતી ગરમ કરીને અગર ગરમ રાખ કે મીઠું ભરીને વાપરી શકાય છે. 

તંદુરસ્તી માટેના અગત્યના નિયમો




તંદુરસ્તીના નિયમો:


1. શરીર અને ચૈતન્ય એકમેક છે, તેથી બંનેનો સાથે વિચાર  કરવો.

2.  બંનેમાંથી એકનો સ્વતંત્રપણે વિચાર કરવાથી શરીરની  સમતુલામાં ખામી આવે છે.

3.  ઉંમર અને બીમારીથી જેમ નબળાઈ આવે છે તેમ માનસિક વ્યથાથી પણ પણ શરીરનાં અંગો શિથિલ             થાય છે.

4.  માનસિક બળોની સાચવણી પણ શરીરનાં કુદરતી બળોના જેટલું રક્ષણ, સાવચેતી માગી લે છે.

5.  શરીરમાં જ પોતાના રક્ષણ માટે બહુ શક્તિસાડી બળો   રહેલાં છે.

6.  શરીરને મદદ કરવી, પણ શરીરનું જે ચાલુ બંધારણ હોય તેનાથી વુરૂદ્ધ દિશામાં લઈ જાય એવું કશું કરવું       નહિ.

7. કોઈ અંગમાં અવ્યવસ્થા આવી હોય તો તેના સ્વાભાવિક કાર્યમાં આડે આવવું નહિ. પણ શરીરનાં                    પરમાણુઓને અને રસવાહિનીઓને ઉતેજન આપવું.

8. કોઈ પણ અંગના કાર્યને અટકાવવાથી તેની અસર શરીરનાં બધા અંગોના કાર્ય ને થાય છે.

9. કોઈ પણ અંગના કાર્યમાં વિજ્ઞાનના જ્ઞાન પ્રમાણે અવરોધ થયો હોય, તો શરીરનાં બધા અંગોને ધ્યાનમાં      રાખી ઉપાય કરવો.

10. તમારા શરીરને તમે જાતે જ સાચવો. જુવાની અને શક્તિ અવિચારી અને ઉતાવળિયા થઈને                          અટકાવવાથી કે અવરોધવાથી નુકસાન થાય છે.

11. તંદુરસ્તી માટે મોટામાં મોટી બાબત સ્વચ્છતા છે.

12. શરીરને શાની જરૂર છે તેનું ધ્યાન આપો.

13. શરીરની તંદુરસ્તી સાચવવા માટે સારો અને અસરકાર ઉપાય ઊંઘ છે. ઊંઘ માટે અકુદરતી ઉપાયો ન            લો, તેથી શરીરની અને મનની તંદુરસ્તીને નુકસાન થાય છે.

14. હંમેશા યાદ રાખો કે શરીરનું રક્ષણ કરવા માટે તે બધું જ કરે છે, તેને તેમાં મદદ કરો. પણ નકામું                  સમજણ વગર તેની પાસે કાંઈ પણ કરાવો નહિ. યાદ રાખો કે શરીર આળસુ નથી, પણ તેને વિરુદ્ધ                 દિશાઓમાં ક્રિયાઓ કરવાની ફરજ પાડશો, તો તેથી શરીર થાકી જશે અને કાંઈ પણ સારું પરિણામ આવશે      નહિ.